અમરનાથ યાત્રા ફરી શરૂ, 6,269 શ્રદ્ધાળુ રવાના

અમરનાથ યાત્રા ફરી શરૂ, 6,269 શ્રદ્ધાળુ રવાના

ખરાબ હવામાનને કારણે છ દિવસ સ્થગિત રહેલી અમરનાથ યાત્રા શનિવારે ફરી શરૂ થઈ. જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી 6,269 શ્રદ્ધાળુઓનો જથ્થો બાલટાલ માર્ગે રવાના થયો. હાલ ફક્ત બાલટાલ રૂટ જ ખુલ્લો છે, જ્યારે પહલગામ રૂટ પર ભૂસ્ખલનના જોખમને કારણે હજુ મોનિટરિંગ ચાલુ છે. અત્યાર સુધીમાં લગભગ ચાર લાખ ભક્તોએ દર્શન કર્યા છે. યાત્રા 28 ઓગસ્ટ સુધી ચાલશે.

Source: Gujarat First

Read the live feed on ZapIndies