દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના સદસ્ય અને સેવાભાવી તબીબ ડો. પી.વી. કંડોરીયાનું ગઈકાલે કેદારનાથ યાત્રા દરમિયાન હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે. તેઓ ખંભાળિયામાં દેવભૂમિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડાયરેક્ટર હતા અને વિનામૂલ્યે સારવાર આપતા હતા. મૃતદેહને ખંભાળિયા લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. સમગ્ર આહીર સમાજ અને જિલ્લામાં શોકની લાગણી પ્રસરી છે.
ખંભાળિયાના સેવાભાવી તબીબ ડો. પી.વી. કંડોરીયાનું કેદારનાથમાં અવસાન
Source: Aajkaal Gujarati
Read the live feed on ZapIndies