ગુજરાતના વિરમગામમાં સતત વરસાદ અને ઉપરવાસના પાણીના કારણે 24 કલાક બાદ પણ જળબંબાકારની સ્થિતિ યથાવત છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી બે દિવસ માટે રાજ્યમાં યલો એલર્ટ જાહેર કર્યું છે, અને 30 જુલાઈએ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં વાસણા બેરેજના 4 ગેટ ખોલીને નદીમાં પાણી છોડવામાં આવ્યું છે.
વિરમગામમાં 24 કલાક બાદ પણ જળબંબાકાર, યલો એલર્ટ જાહેર
Source: Gujarat First
Read the live feed on ZapIndies