વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ રેલવે સ્ટેશન પર આજે વહેલી સવારે વિરાર-ભરૂચ મેમુ પેસેન્જર ટ્રેનનું એન્જિન પાટા પરથી ઊતરી ગયું હતું. ટ્રેનની ધીમી ગતિને કારણે જાનહાનિ ટળી હતી. ઘટનાથી મુંબઈ-અમદાવાદ રેલ વ્યવહાર ખોરવાયો હતો અને વંદે ભારત સહિત અનેક ટ્રેનો મોડી પડી હતી. રેલવે દ્વારા ટેકનિકલ તપાસ શરૂ કરવામાં આવી છે.
વલસાડમાં મેમુ ટ્રેનનું એન્જિન પાટા પરથી ઊતર્યું
Source: Aajkaal Gujarati
Read the live feed on ZapIndies