નેપાળના સુનસારી જિલ્લામાં બોલબમ યાત્રા દરમિયાન શરૂ થયેલી સાંપ્રદાયિક હિંસા દેશના અનેક શહેરોમાં ફેલાઈ ગઈ છે. હિંસામાં 3 લોકોના મોત થયા છે અને ડઝનેક ઘાયલ થયા છે. સરકારે ઇનરવા, જનકપુર, સિરાહા, ગોલબજાર અને લહાન સહિતના વિસ્તારોમાં કર્ફ્યુ લાદ્યો છે અને નેપાળ સેના તૈનાત કરી છે. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે શાંતિ અપીલ કરી છે, જ્યારે વિપક્ષે સરકાર પર નિષ્ફળતાનો આરોપ લગાવ્યો છે.
નેપાળમાં સાંપ્રદાયિક હિંસા, 3ના મોત, અનેક શહેરોમાં કર્ફ્યુ
Source: Gujarat First
Read the live feed on ZapIndies