બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડ્યાના બે વર્ષ બાદ બુધવારે વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. તેમણે ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે તેઓ જેલમાં પૂરાવા કે માર્યા જવા માટે તૈયાર છે. તેમણે પોતાની સામેની કાનૂની કાર્યવાહીને ગેરકાયદેસર અને રાજકીય ષડયંત્ર ગણાવી હતી. ઓગસ્ટ 2024માં હિંસક વિરોધ બાદ તેઓ ભારતમાં આશ્રય લઈને રહ્યાં છે, અને બાંગ્લાદેશ તેમના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું છે.
શેખ હસીનાનું 2 વર્ષ બાદ વર્ચ્યુઅલ સંબોધન: ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પાછા ફરવાની જાહેરાત
Source: Aajkaal Gujarati
Read the live feed on ZapIndies