દિલ્હીમાં આશ્રય લઈ રહેલા બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ ઓડિયો સંબોધનમાં ડિસેમ્બરમાં સ્વદેશ પરત ફરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ડિસેમ્બર બાંગ્લાદેશ માટે વિજયનો મહિનો છે. આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલે તેમને ગેરહાજરીમાં મૃત્યુદંડની સજા ફટકારી છે, છતાં તેઓ જેલ કે મોતના ડરથી પીછેહઠ કરશે નહીં. તેમણે ભારતને બાંગ્લાદેશનું સદાબહાર મિત્ર ગણાવ્યું છે.
શેખ હસીનાનો ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરવાનો મક્કમ ઈરાદો
Source: Gujarat First
Read the live feed on ZapIndies