આણંદ મહાનગરપાલિકા અને કરમસદ વિસ્તારમાં ત્રણ દિવસથી ચાલી રહેલી કર્મચારીઓની હડતાલનો અંત આવ્યો છે. ધારાસભ્ય યોગેશ પટેલની મધ્યસ્થી બાદ કર્મચારીઓએ હડતાલ પૂર્ણ કરવાનો નિર્ણય લીધો હતો. હડતાલને કારણે સફાઈ, પાણી પુરવઠો અને વહીવટી સેવાઓ ખોરવાઈ ગઈ હતી, જે હવે ફરી શરૂ થઈ છે. જોકે, આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓના મુદ્દા અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી.
આણંદ મનપા કર્મચારીઓની હડતાલ સમાપ્ત, MLAના વચન બાદ કામ પર પરત
Source: Gujarat First
Read the live feed on ZapIndies