સૌરવ ગાંગુલી અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી

સૌરવ ગાંગુલી અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને BCCIના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને ધમકીભર્યા પત્રો મળ્યા છે. છેલ્લા છ મહિનાથી આવતા આ પત્રોમાં તાજેતરમાં જાનથી મારી નાખવાની સ્પષ્ટ ધમકી આપવામાં આવી છે. ગાંગુલીના અંગત સચિવ તાનિયા ભટ્ટાચાર્યએ ઠાકુરપુકુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસ શરૂ કરી છે અને પરિવારની સુરક્ષાનું મૂલ્યાંકન કરી રહી છે.

Source: Gujarat First

Read the live feed on ZapIndies