સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો છે, જેમાં ભાવનગરના મહુવામાં 4.13 ઇંચ, ગોંડલમાં 3.5 ઇંચ અને જૂનાગઢમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના તાલાલા તાલુકાના વડાલાગીરમાં વીજળી પડતાં 40 વર્ષીય કેશર ઇબ્રાહીમ શમાનું મોત થયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આગામી 2-4 દિવસમાં ચોમાસું વિદાય લેશે.
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, તાલાલામાં વીજળી પડતાં એકનું મોત
Source: Gujarati Jagran