દેવભૂમિ દ્વારકાના લાંબા ગામમાં વરસાદ ન આવતાં ખેડૂતો ચિંતામાં છે. કરશનભાઈ માડમે 20 મણ મગફળીનું બિયારણ લઈ લીધું હતું, પણ સમયસર વરસાદ ન આવતાં તેને 1800 રૂપિયા મણના ભાવે વેચી દીધું. હવે તેઓ જુવાર, બાજરી કે તલ વાવવાનું વિચારી રહ્યા છે, પણ પાણી અને ચારાની ચિંતા સતાવે છે.
દેવભૂમિ દ્વારકામાં વરસાદ નહીં, ખેડૂતો ચિંતિત
Source: BBC Gujarati