દિલ્હીથી કાઠમંડુ જતી એર ઈન્ડિયા ફ્લાઈટ AI219માં ઉડાન દરમિયાન ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. પાયલટે સાવચેતીના ભાગરૂપે વિમાનને દિલ્હી પરત લાવી સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું. તમામ મુસાફરોને હેમખેમ ઉતારી લેવાયા બાદ એર ઈન્ડિયાની ગ્રાઉન્ડ ટીમે વૈકલ્પિક ફ્લાઈટની વ્યવસ્થા કરી હતી. એન્જિનિયરિંગ ટીમે વિમાનની તપાસ શરૂ કરી છે.
એર ઈન્ડિયા AI219માં ટેક્નિકલ ખામી, દિલ્હી પરત ફર્યું
Source: Mantavya News