ભાવનગરમાં નકલી વિદેશી દારૂ પીવાથી ચાર લોકોના મોત થયા છે અને 22 લોકો સારવાર હેઠળ છે. પોલીસે 10 લોકોને રાઉન્ડ અપ કર્યા છે. ભંગારની બોટલો અને રસાયણોથી બનાવાયેલા આ દારૂમાં ફોર્મ્યુલા નિષ્ફળ જવાથી તે ઝેરી બન્યો હોવાની શંકા છે. રાજ્યની સ્ટેટ મોનિટરિંગ ટીમ તપાસમાં જોડાઈ છે.
ભાવનગરમાં નકલી વિદેશી દારૂથી ચાર મોત, 22 બીમાર
Source: BBC Gujarati