મહેસાણામાં ડૉ. ચાંદની પટેલના અપહરણ કેસમાં પાટીદાર સમાજે એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ઘેરી લીધું અને એકતરફી કાર્યવાહીના આક્ષેપ કર્યા. પોલીસે પિયર પક્ષ સામે અપહરણ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો, જેના વિરોધમાં આંદોલન કરવાની ચેતવણી અપાઈ છે. લોકદરબાર રદ કરવો પડ્યો હતો.
મહેસાણામાં પાટીદાર સમાજે પોલીસ સ્ટેશન ઘેર્યું
Source: Divya Bhaskar