સુરતના નાના વરાછા પોલીસ ચોકીમાં PSI રિવોલ્વર સાફ કરતા હતા ત્યારે અચાનક ગોળી છૂટતાં અરવિંદભાઈ પટેલને ઈજા થઈ. ગોળી પાણીના જગને વીંધીને તેમને વાગી હતી. તેમની હાલત જોખમ બહાર છે. ડીસીપી આલોક કુમારે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી છે.
પોલીસ ચોકીમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી નાગરિકને વાગી
Source: News18 Gujarati