કોમેડિયન રાજીવ ઠાકુરનાં પિતાનું નિધન થયું છે. આ દુઃખદ ખબર તેમના મિત્ર અને કોમેડિયન કૃષ્ણા અભિષેકે કન્ફર્મ કરી છે. આ કારણે ઇન્દોરમાં યોજાનારો તેમનો શો પોસ્ટપોન કરવામાં આવ્યો છે. ઓર્ગેનાઈઝરે જણાવ્યું છે કે ટિકિટ ધારકોના પૈસા રિફન્ડ કરવામાં આવશે અને શો જલદી રીશેડ્યુઅલ કરવામાં આવશે.
કોમેડિયન રાજીવ ઠાકુરનાં પિતાનું નિધન, ઇન્દોર શો પોસ્ટપોન
Source: News18 Gujarati