સોશિયલ મીડિયા સ્ટાર 'ગુજ્જુ લવ ગુરુ' તરીકે જાણીતા ચંદન રાઠોડનું ભાભર-સુઇગામ રોડ પર નિધન થયું છે. વાવ-થરાદના સુઇગામના વતની ચંદન રાઠોડે સિરામિક નોકરીથી લઈને ટિકટોક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ સુધીની સફરમાં લાખો ચાહકો જીત્યા હતા. તેમની યુટ્યુબ ચેનલને 10 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ અને ગોલ્ડ પ્લે બટન મળ્યું હતું, જ્યારે ઇન્સ્ટાગ્રામ પર 18 લાખથી વધુ ફોલોઅર્સ હતા. તેમના નિધનથી સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડનું નિધન, ગુજરાતમાં શોક
Source: Gujarati Jagran