બનાસકાંઠાના અંબાજી ખાતે આજથી ભાદરવી પૂનમ મહામેળાનો પ્રારંભ થયો છે, જે 20થી 26 સપ્ટેમ્બર સુધી ચાલશે. મહામેળામાં 30 લાખથી વધુ ભક્તો ઉમટવાની શક્યતા છે. ભક્તોની સુરક્ષા માટે 5 હજારથી વધુ સુરક્ષા જવાનો તૈનાત કરાયા છે. અંબાજી અને ગબ્બરધામને રોશનીથી શણગારવામાં આવ્યા છે.
અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળાનો પ્રારંભ, 30 લાખ ભક્તો ઉમટશે
Source: VTV Gujarati