રાજ્ય સરકારે એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ મૂક્યા બાદ દૂધ અને પનીરના બજારમાં તંગી શરૂ થઈ છે. હોટેલ, રેસ્ટોરાં અને કેટરર્સે હવે અસલી પનીર ખરીદવું પડે છે, જેના કારણે દૂધની માગ વધી છે. પરિણામે દૂધ અને થાળી બંને મોંઘાં થવાની સંભાવના છે, અને પનીરની વાનગીઓના ભાવમાં પણ વધારો થઈ શકે છે.
એનાલોગ પનીર પ્રતિબંધથી દૂધ અને થાળી મોંઘાં થવાની શક્યતા
Source: Aajkaal Gujarati