રાજકોટમાં 74 વર્ષીય પુષ્પાબેન જોશીએ પુત્રવધૂ અને બે પૌત્રીઓ સામે મિલકતમાં ભાગ માટે દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ વૃદ્ધ દંપતીને હિંચકેથી પાડી દેવા અને રસોડામાં તેલ-પાણી ઢોળી લપસાવવાના પ્રયાસ કર્યાનું કહેવાય છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મિલકત માટે દાદા-દાદી પર પુત્રવધૂ અને પૌત્રીઓનો અત્યાચાર
Source: Zee 24 Kalak