પશ્ચિમ રાજસ્થાનથી 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાય શરૂ થઈ છે, જ્યારે ગુજરાતમાં 22-25 સપ્ટેમ્બર દરમિયાન વિદાય પ્રક્રિયા શરૂ થવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, 25 સપ્ટેમ્બર સુધીમાં કચ્છ અને ઉત્તર ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ શકે છે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 87 ટકા વરસાદ થયો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં 112 ટકા અને કચ્છમાં 57.16 ટકા નોંધાયો છે.
રાજસ્થાનથી ચોમાસાની વિદાય શરૂ, ગુજરાતમાં 22-25 સપ્ટેમ્બરે પ્રક્રિયા
Source: Gujarati Jagran