અમરેલી જિલ્લાના સાવરકુંડલા નજીક હાડિડા ગામમાં કિશોરભાઈ ધાણકે પાંચ વર્ષની દીકરીની હત્યા કરી, તેની પૂજા કરી, ચૂંદડી ઓઢાડી મૃતદેહ ફ્રીઝમાં મૂક્યો અને પછી આત્મહત્યા કરી. બાંધકામના ધંધામાં 7.20 લાખની લોન ફસાઈ જવાથી તણાવમાં હતા. પોલીસને મળેલી ચિઠ્ઠીમાં દીકરીને જીવનમાં તકલીફ ન પડે તે માટે આ પગલું લીધાનો ઉલ્લેખ છે.
સાવરકુંડલામાં પિતાએ દીકરીની હત્યા કરી આત્મહત્યા કરી
Source: BBC Gujarati